Skip to content


લ-001

લાખ ઝંઝાવાતમાં પણ જીવવાની છે મજા,
ભવ્ય હો અરમાન તો તકલીફ જેવું કંઈ નથી.
– કિરીટ ગોસ્વામી”

લાગણીઓના લબાચા લઈ બધા
ખોખલા ઘરના ખૂણામાંથી નીકળ
– મનહર જાની”

લે હલેસાં ને નદી તું પાર કર
એ રીતે તું નાવનો ઉદ્ધાર કર !
– ઉર્વીશ વસાવડા

લેવા બેસે છે ત્યારે માટી પણ
આત્મા સાથે શરીર લઈ લે છે
-“રસિક” મેઘાણી

લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.
– ઘાયલ

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
-શૂન્ય પાલનપુરી

લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
-ડૉ.વિવેક મનહર ટેલર

લોક કિનારા ઉપર મળતાં ડરે,
હું હવે મઝધારમાં કોને મળું ?
-મોહમ્મદ અલી ભૈડુ ‘વફા’

લીરેલીરા જીવતર ઓઢી
છોડી ચાલો દેશ કબીરા
– માવજી મહેશ્વરી

Posted in .


0 Responses

Stay in touch with the conversation, subscribe to the RSS feed for comments on this post.

You must be logged in to post a comment.



Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.