લાખ ઝંઝાવાતમાં પણ જીવવાની છે મજા,
ભવ્ય હો અરમાન તો તકલીફ જેવું કંઈ નથી.
– કિરીટ ગોસ્વામી”
લાગણીઓના લબાચા લઈ બધા
ખોખલા ઘરના ખૂણામાંથી નીકળ
– મનહર જાની”
લે હલેસાં ને નદી તું પાર કર
એ રીતે તું નાવનો ઉદ્ધાર કર !
– ઉર્વીશ વસાવડા
લેવા બેસે છે ત્યારે માટી પણ
આત્મા સાથે શરીર લઈ લે છે
-“રસિક” મેઘાણી
લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.
– ઘાયલ
લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
-શૂન્ય પાલનપુરી
લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
-ડૉ.વિવેક મનહર ટેલર
લોક કિનારા ઉપર મળતાં ડરે,
હું હવે મઝધારમાં કોને મળું ?
-મોહમ્મદ અલી ભૈડુ ‘વફા’
લીરેલીરા જીવતર ઓઢી
છોડી ચાલો દેશ કબીરા
– માવજી મહેશ્વરી
0 Responses
Stay in touch with the conversation, subscribe to the RSS feed for comments on this post.
You must be logged in to post a comment.