April 5th 2008
ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?
પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ?
-ગની દહીંવાલા
ભીતરમાં મુંઝારો થાય,
મુજ પાંપણના દ્વારે આવ.
આબિદ ભટ્ટ
ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.
- કૈલાસ પંડિત
ભલે ભપકા ભરેલો છું,છતાં આંગાર વેચું છું
મને નીચો નમાવે એ બધો આભાર વેચુ છું
- મનહર મોદી
ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો
-મનોજ ખંડેરિયા
March 29th 2008
ભીનાશ આખા માર્ગમાં લોકોએ જોઈ છે,
રડતું ગયું’ તું કોણ અમારી કબર સુધી
-મનહરલાલ ચોકસી
ભલે પરણ સતત ખરે ને વૃક્ષને અસર કરે,
નચિંત સંત તો રહે ફકિર ના ફિકર કરે
-આબિદ ભટ્ટ્
ભલું થાજો તમારું કે મને ચીંધી ગયા રસ્તો,
હતો હું એની શેરીમાં રઝળવાની અણી ઉપર.
-ગોપાલ શાસ્ત્રી
ભૂલથી પણ એ ભાવ તો પૂછે,
આખે આખી દુકાન આપી દઉં !
- ઉદયન ઠક્કર
ભીડ ભરેલી દુનિયા કિંતુ
તારા વિના છે સૂનો રસ્તો
-‘રસિક’ મેઘાણી
ભીતરે એકલા જવું પડશે,
બ્હાર બીજે અનેક લૈ જાશે !
-સુધીર પટેલ
ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ
-ભરત વિંઝુડા
ભીંત વચ્ચેથી સોંસરું પડશે -
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?
-ચિનુ મોદી ‘ઈર્શાદ’
ભીતરમાં મુંઝારો થાય,
મુજ પાંપણના દ્વારે આવ.
-આબિદ ભટ્ટ
ભૂલો પડે ના કાફલો મારી તલાશમાં
હું એટલે જોડાઈ ગયો છું પ્રવાસમાં
-રિષભ મહેતા