સાંઈ મારગ સાવ જ સીધો
શેની વાગી ઠેશ કબીરા
– માવજી મહેશ્વરી
સીમ ભલેને આળસ મરડે
ભીંજાવું ના લેશ કબીરા
– માવજી મહેશ્વરી
સાવ થાકી ગયેલ પગને લઈ
એક ઈચ્છા જ ચાલતા રાખે
-ભરત વિંઝુડા
સાથ કાયમનો કદી હોતો નથી,
જાતની સાથેય અંતર રાખીએ.
સૂરજને જે પ્રકાશ તણું દાન દૈ શકે;
એવી તમારી પાંપણોમાં રોશની હતી.
સમજી શકાય એટલી આજે સરળ નથી;
કાલે તમારી વાતમાં વહેતી નદી હતી.
– મનહરલાલ ચોક્સી
0 Responses
Stay in touch with the conversation, subscribe to the RSS feed for comments on this post.
You must be logged in to post a comment.