વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઊખડી જાય તો કે જે મને
જિંદગી!તારાથી હું થાકયો નથી, તું જો થાકી જાય તો કે જે મને
-ખલીલ ધનતેજવી…
વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ્’
અરે એ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
-’આદિલ’ મનસુરી
વિરાટ પંથમા થાકી વિરામ કરવા પણ
પરાઈ ભીંતના છાંયે કદી નથી બેઠા
-‘રસિક’ મેઘાણી
વીખરેલી લટોને ગાલો પર રે’વાદે પવન તું રે’વાદે
પાગલ ગુલાબી મોસમમાં વાદળનું વિસર્જન કોણ કરે
-સૈફ પાલનપુરી
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું,
જીવનમાં એથી વિશેષ શું છે, વિચાર જાયે, વિચાર આવે.
– ’શયદા’
વેદનાને તું ચિતરજે, લઈ કલમ, કાગળ ઉપર
ત્યાં ઉજવશું જાતને, જો પર્વ નીકળે કેટલાં !
-છાયા ત્રિવેદી
વરસ્તા વાદળ મળે કે ચૈતર, સતત ‘રસિક’ ચાલતા જો રે’શો
દિશાના અંતર પછી સિમટશે, કદીક એવી સવાર પડશે
-‘રસિક’ મેઘાણી
વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઇતું’તું?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?
-અનિલ ચાવડા
વિશ્વ આખું છે મુજ આસપાસ
તોય તારા વિના હું ઉદાસ
-‘રસિક’ મેઘાણી
વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
હરીન્દ્ર દવે
0 Responses
Stay in touch with the conversation, subscribe to the RSS feed for comments on this post.
You must be logged in to post a comment.