Skip to content


વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઊખડી જાય તો કે જે મને
જિંદગી!તારાથી હું થાકયો નથી, તું જો થાકી જાય તો કે જે મને
-ખલીલ ધનતેજવી…

વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ્’
અરે એ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
-’આદિલ’ મનસુરી

વિરાટ પંથમા થાકી વિરામ કરવા પણ
પરાઈ ભીંતના છાંયે કદી નથી બેઠા
-‘રસિક’ મેઘાણી

વીખરેલી લટોને ગાલો પર રે’વાદે પવન તું રે’વાદે
પાગલ ગુલાબી મોસમમાં વાદળનું વિસર્જન કોણ કરે
-સૈફ પાલનપુરી

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું,
જીવનમાં એથી વિશેષ શું છે, વિચાર જાયે, વિચાર આવે.
– ’શયદા’

વેદનાને તું ચિતરજે, લઈ કલમ, કાગળ ઉપર
ત્યાં ઉજવશું જાતને, જો પર્વ નીકળે કેટલાં !
-છાયા ત્રિવેદી

વરસ્તા વાદળ મળે કે ચૈતર, સતત ‘રસિક’ ચાલતા જો રે’શો
દિશાના અંતર પછી સિમટશે, કદીક એવી સવાર પડશે
-‘રસિક’ મેઘાણી

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઇતું’તું?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?
-અનિલ ચાવડા

વિશ્વ આખું છે મુજ આસપાસ
તોય તારા વિના હું ઉદાસ
-‘રસિક’ મેઘાણી

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
હરીન્દ્ર દવે

Posted in .


0 Responses

Stay in touch with the conversation, subscribe to the RSS feed for comments on this post.

You must be logged in to post a comment.

« »


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.