સૌ ફરે છે આમ તો દેશાવરો,
તોય ઘરને ક્યાં વટાતું હોય છે !
-રાકેશ હાંસલિયા”
સમસ્ત જિંદગી વીતી છે એમ રસ્તામાં
અસીમ રણમાં વરસ્તી’તી લૂ, તરસને હું
“રસિક” મેઘાણી
સળવળેલી લાગણીના સળ લખું છું,
કેટલાં વરસો પછી કાગળ લખું છું !
-“મનીષ પરમાર”
સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
-બેફામ
સૂર્ય જેવાં સૂર્યને પણ ડૂબતો જોયા પછી,
કોડિયાંની રાતને, હું સાચવું છું ત્યારથી.
-છાયા ત્રિવેદી
સમગ્ર જિંદગી પ્રગટેલી એક આશ રહી
પ્રતિક્ષા એની કરી કે, જે આવનાર નથી
“રસિફ” મેઘાણી
સાત દરિયાને ડખોળો તોય શું ?
ભાગ્યમાં જો હોય તો કોડી મળે.
-અરુણ દેશાણી
સુખનો સૂરજ ઊગે તોયે,
દુઃખનો ડુંગર મોટો રહેશે.
-ઉર્વી પંચાલ ‘ઉરુ’
સંબંધોના સરવાળામાં,
આગળ પાછળ ખોટો રહેશે.
-ઉર્વી પંચાલ ‘ઉરુ’
સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું – ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.
-વિવેક મનહર ટેલર
(ફેબ્રુઆરી, ૧૯૯૨) http://vmtailor.com/archives/223
0 Responses
Stay in touch with the conversation, subscribe to the RSS feed for comments on this post.
You must be logged in to post a comment.