કોણે કહયું તને કદી આંબી નહીં શકું
રસ્તાના ખાડાં ટેકરા ખાળી નહીં શકું
-રસિક” મેઘાણી
કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય
-જવાહર બક્ષી
કાયમી કોઈ દશા હોતી નથી,
બે-ઘડી ધુમ્મસ છવાતું હોય છે.
-રાકેશ હાંસલિયા”
ક્યાં બધે દિલથી જીવાતું હોય છે,
એટલે કાયમ થકાતું હોય છે.
-રાકેશ હાંસલિયા”
કેવો અનુપમ કેવો મનહર
તારો હસતો ચહેરો સુંદર
-રસિક” મેઘાણી
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય્
નિજ ઘરથી નીકળી નદી પાછી નથી વળી
-જલન માતરી
કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ એકલા શરમાય છે.
-સૈફ’ પાલનપુરી
કાચ તૂટ્યો એક પથ્થરની કથા પૂરી થઈ,
શબ્દ પ્રગટ્યો એક અક્ષરની કથા પૂરી થઈ.
-ઉર્વીશ વસાવડા
કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !
– અદી મિરઝા
ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.
-અનિલ ચાવડા
0 Responses
Stay in touch with the conversation, subscribe to the RSS feed for comments on this post.
You must be logged in to post a comment.