Posted by rasikmeghani under
મNo Comments
મને ભીડમાંથી નીકળવા તો દો
અને જાત સાથે રઝળવા તો દો
-ડો.ઍચ.એસ.રાહી
મેવાડની મીરાંને માધવની મમતા,
માધવને મથુરાના માખણની મમતા,
-દેવિકા ધ્રૂવ
માટે જ એને માટે મને પક્ષપાત છે,
ગઝલો તો પૂર્વજન્મના પુણ્યોનું વ્યાજ છે.
– મનહરલાલ ચોક્સી
‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.
– મનહરલાલ ચોક્સી
Posted by rasikmeghani under
અNo Comments
આ પરવતો નીલી ઘટાઓને કદી નડતા હતા.
ને, આંતરી રસતો, ભિંજવવા માંગણી કરતા હતા.
-’મનુજ’ હ્યુસ્તોનવી
આવ મારા રેશમી દિવસોના કારણ્
જિંદગી જેને કહે છે,તે અહીં ઠેબે ચઢી છે
-શ્યામ સાધુ
આ દર્દ મૌનમાં જ છવાતું ભલે અહીં
મેં તો કહ્યું હતું મને,ને સાંભળ્યું તમે
-ડો. રઘુવીર ચૌધરી
આકાશી વાદળને નામે વાત તમોને કહી દઉં છું
કાં વરસી લો, કાં વિખરાઓ, આ અમથા ગરજો શા માટે?
– મધુકર રાંદેરીયા
આફતો ,આવો ડરો ના ભીડથી
સબ્રની શેરી નથી કંઇ સાંકડી
– હૈદરઅલી જીવાણી
આજ દેખાય ગગનચુંબી ઇમારત, એની
ઉંડે પાયાનો હું પથ્થર બની ધરબાયો છું
-રસિક મેઘાણી
અરે પ્રારબ્ધ તો ઘેલુ રહે છે દૂર, માંગેતો
ન માંગે દોડતુ આવે, ન વિશ્વાસે કદી રહેજે
-બાલાશંકર કંથારીયા
આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં
તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં
– રમેશ પારેખ
આંખ મ્હારી ને હવે મેં શું નિહાળ્યું, જાણવું છે!
પ્રેમનાં આ વ્હેણમાં મેં શું ગુમાવ્યું, જાણવું છે!
-’મનુજ’ હ્યુસ્તોનવી
આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો
-મનોજ ખંડેરિયા